તમારા માટે, તમારી સાથે, સતત…
Browsing Tag

Readers feedback

શિવાની જાડેજા, પોરબંદર

અજાતશત્રુ – રાજનેતા… -  અટલ બિહારી વાજપેયીજીના જીવન સાથે સંકળાયેલી વિગતો વાંચવી ગમી. દેશને આવા સ્વચ્છ-કવિહૃદય રાજપુરુષ મળ્યાનું ગૌરવ છે.

જ્યોતિ શ્રીવાસ્તવ, બેંગ્લુરુ

કુદરતી સંપદાને અંકે કરવાનો અતિરેક... - 'અભિયાન'માં 'કેરળની તબાહી ઃ ખરેખર કુદરતી છે કે.....??!!'માં વિગતો જાણી. કેરળમાં આવેલા જળપ્રલયમાં ક્યાંક કુદરતી સંસાધનોના બેરોકટોક અને અવિચારી ઉપયોગનું પરિણામ દેખાય છે. સરકાર સામે આવેલા રિપોર્ટની…

હંસા ભરૃચા, વિરાર, મુંબઈ

કેરળની તબાહી - માનવ લાચાર... - 'અભિયાન'માં કેરળમાં આવેલી પૂર હોનારતની વિગતો જાણી. કુદરતી આફતોમાં પ્રજા ઘરબાર અને મિલકતોથી બરબાદ થતી રહી છે. સરકાર કરોડો રૃપિયાની મદદ કરે, તો બીજી બાજુ સામાજિક સંસ્થાઓ રાતદિવસ મહેનત કરી સેવા કરી રહી છે. આ બધા…

રેખા પંડ્યા, સુરત

સરકાર ચલાવનારાને શિક્ષણ પણ સરકારી.. - જાહેર સેવકોએ પોતાનાં સંતાનોને સરકારી શાળામાં શિક્ષણ લેવા ભણાવવા જોઈએ. સરકારી શાળાની શૈક્ષણિક કામગીરીથી  તમામ લોકપ્રતિનિધિ વાકેફ બની રહે તે જરૃરી છે. સુરતના કોંગ્રેસી નેતાએ પોતાના સંતાનને પ્રાઇવેટ…

હસમુખ સોઢા, દ્વારિકા

દૃઢનિર્ધાર અને નિર્મળદિલના ઇન્સાન... - ભારતના જાહેરજીવનમાં દાયકાઓ સુધી કોઈ સ્વચ્છ પ્રતિભા અને નિર્મળ દિલના ઇન્સાન મળ્યા હોય તો તે અટલ બિહારી વાજપેયી છે. પાંચ દાયકાથી જાહેરજીવન સાથે સંકળાયેલા કોઈ રાજપુરુષ નિષ્કલંક રહી દેશની સેવા કરી હોય…

ચિરંતન દવે, અમદાવાદ

વૈશ્વિક રાજનેતાની ઓળખ... - અટલજીની આઇડેન્ટિટી એક સ્ટેટ્સમેન તરીકેની રહી. વૈશ્વિકસ્તરે તેમનાં કાર્યો અગણિત રહ્યાં. અટલજીનાં કાર્યોને 'અભિયાને' સ્થાનિક સંસ્મરણોના વાડામાં બાંધી લીધાની ફિલિંગ જરૃર થઈ.

ચંદ્રશેખર દેશમુખ, અમદાવાદ

અટલજીએ ગુજરાતને ઘણો પ્રેમ આપ્યો... - 'અભિયાને' ભારતરત્ન અટલજીને શ્રદ્ધાંજલિ આપી સાથે ગુજરાતનો નાતો કેટલો ઘનિષ્ઠ હતો તેની વિગતો રજૂ કરી.  ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે તેમનો પ્રેમ અકબંધ રહ્યો. અટલજીને શત શત નમન.

ઉલ્લાસ કદ્રેકર, અમદાવાદ

રાષ્ટ્રહિત સર્વોપરીને વરેલા યુગપુરુષ - દેશને ગૌરવ થાય તેવું જાહેરજીવન અટલ બિહારી વાજપેયી  જીવી ગયા. એક નિષ્કલંક રાજપુરુષ તરીકેની છાપ છોડતા ગયા.  ઇતિહાસમાં અંકિત થાય તેવા દૂરંદેશી લેવાયેલા નિર્ણયો તેમની રાષ્ટ્રભક્તિને ઉજાગર કરે છે. દેશને એક…

હિતેશ રાજ્યગુરુ, રાજકોટ

એક સ્વપ્ન અધૂરું રહી ગયાની લાગણી... 'અભિયાન'માં ભારતરત્ન અટલજીને શ્રદ્ધાંજલિના લેખો હૃદયને સ્પર્શી ગયા. અટલજીને જાણવાની એક ખ્વાઇશ પૂરી થઈ. અટલજીનાં કાર્યો વિપક્ષમાં રહીને પણ 'નેશન ફર્સ્ટ'ના ધ્યેય સાથે કરેલી કામગીરીનું દેશવાસીઓને ગૌરવ જરૃર…
Translate »