ડો. નરોત્તમ વાળંદ, ભરૂચ

અન્યાયના ઇતિહાસનું સત્ય… ‘અભિયાન’ની કવર સ્ટોરી ‘મુંબઈને ગુજરાતમાં કેમ સમાવાયું નહીં?’માં ગુજરાતને થયેલા અન્યાયના દસ્તાવેજી પુરાવા સાથે અર્થપૂર્ણ વિગતો જાણવા મળી. રાજહઠ સામે ગુજરાતની સમૃદ્ધિ મહારાષ્ટ્રમાં ચાલી ગઈ. રાજકીય દાવપેચથી થયેલા વિભાજન પાછળની ખરી હકીકત નવી જનરેશન માટે આંખ ખોલનારી બની રહેશે. ‘અભિયાન’ કવર સ્ટોરીના વિષયમાં સમયોચિત ઘટનાને આવરી લઈ અગ્રેસર રહ્યું. કવર સ્ટોરી મનનીય રહી.

Reader feed back 10
Comments (0)
Add Comment