રાજન પ્રતાપ (મનમોજી), વડોદરા

‘પશુ-પંખીઓના દેવદૂત…
‘અમદાવાદના કાંકરિયા પ્રાણીસંગ્રહાલયના સ્થાપક રૃબિન ડેવિડની ૨૩મી માર્ચની તેમની પુણ્યતિથિના અવસરે ‘અભિયાન’એ તેમને યાદ કરીને તેમના વિશે એક સરસ માહિતીસભર લેખ પ્રગટ કરીને તેમની ઉમદા કારકિર્દીને બિરદાવવાનું કાર્ય કર્યું છે. રૃબિન ડેવિડ જેવા પશુપંખી પ્રેમી બીજા કદી નહીં થાય. કાંકરિયા પ્રાણીસંગ્રહાલયને વાઘ-સિંહ, શ્વાન, રીંછ, મગરી, બિલાડી, હાથણી વગેરે પશુપંખીઓ માટે જિંદગીભર પોતાની જાત ઘસી નાખનાર રૃબિન ડેવિડની પુણ્યતિથિ નિમિત્તે તેમને શત શત નમન….

Comments (0)
Add Comment