તમારા માટે, તમારી સાથે, સતત…

જિગર પુરોહિત, વડોદરા

0 65

બળાત્કારઃ કાનૂનથી પણ ઊંચી સોચ જરૂરી ‘અભિયાન’માં ‘ચર્નિંગ ઘાટ’ કોલમના લેખક ગૌરાંગ અમીને સમાજમાં બળાત્કારના કિસ્સા બાબતે મનનીય વિચારો રજૂ કર્યા. કાનૂન તો દોષીને જ સજા આપી શકે, તે પહેલાં દુષ્કર્મ કરનાર વ્યક્તિને ગુનેગાર સાબિત કરવો જરૃરી છે જે ઘણા કિસ્સામાં સહેલું નથી. સમાજમાં આવી ઘટના બનતા સોશિયલ મીડિયા પર કી-બોર્ડ કે લોકમુખે જે ચર્ચા જ થાય છે તેમાં ફક્ત ‘ને ફક્ત ‘રાજકારણ’ જોવા-સાંભળવા મળે છે. દેશના એવા કિસ્સાઓમાં ખાસ પ્રકારની કોમ્યુનિટી સીધે-સીધે ‘સરકાર’ને ભીડાવવામાં હરખપદુડી બની જાય છે. ‘બળાત્કારી ફક્ત શરીરથી નહીં, પણ મનથી પણ નગ્ન હોય છે’માં કાનૂનથી પણ ઊંચી સોચ સમાજે કેળવવી જરૃરી છે, જાગૃતિ જરૃરી છે.

Leave A Reply

Your email address will not be published.

Translate »